શાંતિ જોઇએ છે?-”સ્વ”માં વસ અને “પર”થી ખસ
દુનિયાની ચિંતા છોડો, ભીતરે જ વસી છે શાંતિ
તે આણશે પરિવર્તન,”સ્વ”માં વસ, “પર”થી ખસ.
નિવૃત્ત જીવન માં દાખલ થતા એક વાત સમજવી જરુરી છે અને તે છે “સ્વ”માં વસવું અને “પર” થી ખસવું. આ વાત તો સાવ નાની છે પણ તે આત્મ સાત કરવી તે સાધના છે.
એક સીધી વાત કહીયેતો આપણને હુકમો કરવા ગમે છે પણ કોઇ આપણને હુકમ કરે તો ગમતું નથી. કેમ?
આપણે બીજા માટે સલાહ આપવાની હોય તો ક્ષણની પણ વાર નથી લગાડતા પણ આપણે આપણેજ જો તે સલાહ પર અમલ કરવાનો હોય તો તે આપણ ને ગમતું નથી. કેમ?
માણસ માત્રને અન્યની વાતો..અન્યની ક્ષતિઓ અન્યની બુરાઇને ચગાવવા કે વાગોળવા ગમે છે. અને આ પરિસ્થિતિને “પર”માં વસ કહે છે. (more…)
2011 in review
The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.
Here’s an excerpt:
The concert hall at the Syndey Opera House holds 2,700 people. This blog was viewed about 8,600 times in 2011. If it were a concert at Sydney Opera House, it would take about 3 sold-out performances for that many people to see it.
ભાભો ભારમાં તો વહુ મા લાજમાં
અમારા અંબુકાકા કદાચ પોતાની એક પણ દીકરીઓ ના હોવાને કારણે વ્યથિત થતા કાંતા કાકીને કાયમ કહેતા તારી ત્રણ વહુઓ તારી દીકરીઓ જ છે ને? લડાવને તારે જેટલા લાડ લડાવવા હોય તેટલા.. પણ કાંતા કાકી એમ જ બોલે “તમે તો સાધુ પ્રકૃતિનાં છો એટલે તમને ખબર નાપડે પણ આંગળાથી નખ વેગળા તે વેગળા. દીકરી જેટલી સેવા કરે તેટલી લાગણીઓ વહુઓને ના થાય.”
“અરે! આ તારા પોતાના દીકરાઓ પોતાની ચામડીનાં જુતા કરીને પહેરાવે.. તારા દુઃખે કકલી મરે તો ય તને દીકરીનો આટલો બધો મોહ?”
“દીકરાઓને તો પરણાવ્યા એટલે તેમની બૈરીનાં..તેમની શું આશા?”
આવા વડીલો તમે સર્વત્ર જોતા હશો..ખરુંને? (more…)
ધારોકે હું શતાયુ થયો તો?
જનીન વિજ્ઞાન અને ફાર્માસ્યુટિકલ વિકાસે આજના માનવને એક સુંદર ભેટ આપી છે અને તે છે ”દીર્ઘ જીવન”
આ દીર્ઘ જીવન શ્રાપ છે કે આશિર્વાદ?
જો પડ્યા આથડ્યા કે અપંગ થયા તો આ લાંબુ જીવન શ્રાપ જ છે.પણ સૌથી લાંબુ જીવન ૧૨૨ વર્ષ જીવેલ જીની કાલ્મેન્ટને લાંબુ જીવન જીવ્યાનો કદી અફસોસ નહોતો. હા એ વાત જુદી છે કે તેણે તેની દિકરીને અને પૌત્રને પણ જીવન ગુમાવતા જોયા છે.
શતાયુ થવાનાં કીમિયા (૫)
કીમિયો ૫ સુવિચારોને વાગોળો.. પચાવો અને તે રીતે જીવતા શીખો. આ સુવિચારો અનુભવોનું નિતારણ છે. ( સંકલન) વર્તમાન પત્રોમાં આ સુવિચારો રોજનો એક જ આવેછે કારણ કે તેની સુવાસ આખા દિવસ સુધી રહે છે. તેથી જ આ સંકલન દિવસનું એક સુવાક્ય વાંચવું અને વાગોળવુ.
- નજરમાં અમિ તેને દુનિયા ગમી. જીભમાં અમિ તેને દુનિયા નમી.જેની સમજ્માં અમિ તેને સુખની શું કમી?
- ભાગીયાને કહે ચાલો તેને ત્યાં લક્ષ્મી આવે અને ભાગીયાને જે કહે જાવ તેને ઘરેથી લક્ષ્મી પણ જાય.
- ભુલોથી અનુભવ વધે. અનુભવ વધતા ભુલો ઘટે
- પ્રભુ એ ” સ્પેર વ્હીલ” નહીં “સ્ટીયેરીંગ વ્હીલ” છે
- તમે જેને અને જે તમને સંભાળે છે તેમને જણાવો કે તમે તેમની દરકાર કરો છો. (more…)
શતાયુ થવાનાં કીમિયા (૪)
કીમિયો ૪ જાતમાં રાખી શ્રધ્ધા માન
કવિયત્રી ડેના ડેનીયલની કવિતા અત્રે અનુવાદ કરીને મુકી છે
Believe in Yourself, જાતમાં રાખી શ્રધ્ધા માન
Anything Is Possible શક્ય છે સઘળુ બનવું
Believe in Yourself, જાતમાં રાખી શ્રધ્ધા માન
and Remember that અને યાદ રાખ
Anything Is Possible શક્ય છે સઘળુ બનવું (more…)
શતાયુ થવાનાં કિમીયા (૩)
કીમિયો ૩ પોઝિટિવ બનો, જિંદગી ગુલાબ જેવી મઘમઘતી બની જશે
એક વૃદ્ધ જાપાનીને તેના પંચોતેરમા વર્ષે ચીની ભાષા શીખતો જોઈને કોઈએ કહ્યું ‘ભલા માણસ! ઘરડે ઘડપણ આ ચીની ભાષા શીખીને શું કરશો?’ તમારો એક પગ તો મસાણમાં પહોંચી ગયો છે! ઝાડ ઉપરનું પીળું પત્તું ક્યારે ખળી પડશે તેનો ભરોસો નથી તો તમે તો આયુષ્યના છેવાડે… તે માણસને બોલતો અટકાવી પેલા જાપાનીએ તેને ટોણો મારતાં પૂછ્યું ‘આર યુ ઇન્ડિયન?’ તું ભારતીય છે?
પેલાએ હા પાડતાં કહ્યું ‘પરંતુ મારા આ પ્રશ્નને અને ચીની ભાષા શીખવાને શું સંબંધ છે?’ વૃદ્ધે હસીને કહ્યું ‘ઉંમર વધતાં તમે ભારતીયો હંમેશાં મૃત્યુના વિચાર કરો છો. અને અમે જાપાનીઓ જીવનનો વિચાર કરીએ છીએ. હું સાઠ વર્ષનો હતો ત્યારે પણ મને એક ભારતીયે આવો જ પ્રશ્નો પૂછ્યો હતો. અને ત્યાર પછી તો હું સાત ભાષાઓ શીખ્યો છું અને બે વાર વિશ્વમાં ભ્રમણ કરી ચૂકયો છું.! (more…)
શતાયુ થવાનાં કિમીયા (૨)
કીમિયો ૨. ઓછું ખાઓ લાંબું જીવો.
ચિંતક અને લેખક શ્રી કાંતિ ભટ્ટ દિવ્ય ભાસ્કરમાં લખે છે કે દીર્ઘાયુ જ નહીં દીર્ઘ આરોગ્યની કાળજી લો. લાંબા આયુષ્ય સાથે લાંબી,તંદુરસ્તી જ નહીં પણ ‘હેપ્પીનેસ’ મહત્વની છે. ૬૦૦ વર્ષ જીવી શકાય પણ ૬૦ સુધી જીવો કે ગમે ત્યાં સુધી પણ આરોગ્યમય જીવવા ભોજન ઓછું કરતા જાઓ. સાંજે માત્ર ફળાહાર કરો. ઇટલેસ એન્ડ લીવ લોંગ! ઓછું ખાઓ લાંબું જીવો.
માત્ર મહાત્મા ગાંધીજીને દીર્ઘાયુ જ ન નહીં દીર્ઘ-આરોગ્યની ચાવી મળી ગયેલી અને તે ચાવી હતી ‘નિસર્ગોપચાર’. જો તેને ગોડસેએ ગોળી ન મારી હોત તો હું ખાતરીથી કહું છું કે તે ૧૨૫ વર્ષથી વધુ જીવ્યા હોત અને તંદુરસ્ત જીવ્યા હોત. તેમનો નિસર્ગ-આહાર અને નિસર્ગોપચારની શ્રદ્ધા તેમ જ મનુ-આભાના શરીરની ઉષ્મા તેમને લાંબુ જીવાડત. તાજેતરમાં સત્ય સાઇબાબા માત્ર ૮૫ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા તે પહેલાં કેટલાય આધ્યાત્મિક પુરુષો (અને ખાસ રામકૃષ્ણ પરમહંસ કેન્સરથી વડોદરામાં) પીડાયા હતા. વડોદરામાં રામકૃષ્ણ મિશન અને વિવેકાનંદના સંચાલક સ્વામિ નિબિલેશ્વરાનંદજી મહારાજ મારે ઘરે પધાર્યા ત્યારે મેં તેમને આજ પ્રશ્ન પૂછ્યો તો તેમણે બચાવ કર્યો કે રામકૃષ્ણજીએ શરીર કરતાં આધ્યાત્મિક સાધના ઉપર જ સર્વે ધ્યાન આપવું હતું, પણ ૨૧મી સદીના માનવી માટે આવો બચાવ વ્યવહારુ નથી. ધીરુભાઇ અંબાણી અને બીજા અબજપતિ ઉદ્યોગપતિઓ સ્વાસ્થ્યની પરવા કર્યા વગર ‘વહેલા વહેલા’ ગુજરી ગયા તેમાં એ બહાનું ન ચાલે કે રિલાયન્સને ધીગી કરવા તેમણે સ્વાસ્થ્યની કાળજી ન કરી. શું કામ ન કરી ? તમે મિલકત છોડી જાઓ છો. સેંકડો ઉદ્યોગપતિઓ મિલકતો કમાઇને સંતાનો માટે છોડતા જાય છે. શું બે-ત્રણ દીકરા કે દીકરીઓ તમારી મિલકત માટે કાયમી કંકાસ કરે તે માટે તમારે આરોગ્યની ઐસી તૈસીકરવી? (more…)
શતાયુ થવાનાં કિમીયા (૧)
Life’s tragedy is that we get old too soon and wise too late. -Benjamin Franklin
“શતાયુ ભવ” કે “દીર્ઘાયુ ભવ” નો આશીર્વાદ આપતા વડીલોને પણ કદાચ ખબર નહીં હોય કે તે આશીર્વાદ નહીં કેટલાયને માટે એ શાપ હશે. જોકે એ આશીર્વાદ કે શાપ સાબિત થતા પહેલા જેમને તે આશિર્વાદ મળ્યા હોય તેને કેટલાય કલાકો કસરતમાં અને શરીર સાચવવામાં જતા હોય છે . હરિકૃષ્ણ દાદા આજે પણ ૯૩ વર્ષની ઉંમરે રોજનાં ૧૦૦૦૦ પગલા ચાલતા હોય છે.
શતાયુ થવું એ આશીર્વાદ ત્યારે બને કે જ્યારે શરીર સારું હોય..પુરતા પૈસા કે જે મનની શાંતિ આપતા હોય અને જિંદગીમાં આધી વ્યાધી અને ઉપાધીને પહોંચી વળવાનું સચોટ હકારાત્મક મનોબળ હોય.
શતાયુ થવું એ શાપ ત્યારે બને જ્યારે ઉપર જણાવેલ વાતો જેવું કશું ના હોય. જેમકે માંદગી થી ભરેલું શરીર અને વિચ્છેદિત કુટુંબ હોય..ને સૌથી વધુ આગત્યની વાત પૈસા ન હોવાને કારણે અશાંત નકારત્મક વાતાવરણ હોય.
મારી વાતોમાં નકારાત્મક વાતો ન હોય અને તે બાબતને હું ગર્વથી કહું છું કારણ કે રડતા માનવીઓ દુઃખને વધુ વહાલ કરતા હોય છે કે સદા “હું બીચારો મને કેટલું દુઃખ” કહીને સહાનુભૂતિ મેળવવા મથતો હોય છે. દુનિયા આવા રોતલ અને બીચારા બાપડા સાથે રહેવા માંગતી હોતી નથી. તેમને તો તેમનું દુઃખ હરણ કરે તેવી કંપની ગમતી હોય છે. તમે જો આવા બાપડા અને બીચારા હો તો શતાયુ થશો કે કેમ એ શંકાસ્પદ ઘટના હશે અને જો તમે જીવશો તો પણ મહદ અંશે એકલા અને મુંઝાયેલા હશો. (more…)




Recent Comments