પ્રસ્તાવના/પૂર્વભુમિકા

પુ. હરેકૃષ્ણ્ભાઇ મજમુદાર સાહેબ સાથે વર્લ્ડ ગુજરાતી કોંફરંસમાં ત્રણ દિવસ રહેવાનુ થયુ તે સમય દરમ્યાન તેમનો નિવૃત માણસો નીતકલીફો અને તેના ઉપાયો માટે દસ વર્ષ સુધી તેમની મહેનત અને નિષ્ઠા વિશે ઘણી જ વાતો થઇ અને એવુ તારણ પણ આવ્યું કે તેમણે આદરેલો યજ્ઞ કોઇક ચાલુ રાખી શકે તેમ હોય તો તે કાર્ય તે કોઇકને સોંપવા માંગે છે. રવિવારે મારુ નિવૃત્તિની પ્રવૃત્તિનું  પ્રવચન સાંભળી ને તેમને આનંદ થયો અને કહે તમે સારી રીતે તમારુ વક્તવ્ય રજુ કર્યુ થૉડોક વધારે સમય તમને મળ્યો હોત તો સીનીયર સીટીજનોને ઘણું જાણવા મળ્યુ હોત.

હવે મારામાંનો લેખક મને ભાર પુર્વક કહેવા માંડ્યો તારી પાસે થીયરી છે અને હરે કૃષ્ણભાઇ અનુભવોનો ખજાનો તો કેમ તેમેની સાથે રહી સંપૂર્ણ પુસ્તક તૈયાર ન કરાય? છ મહિને એ વિચાર અમલમાં મુકવા મેં તેમને ફોન કર્યો ત્યારે કહે હું હોસ્પીટલમાં હતો ત્યારે મને આ વિચાર આવ્યો અને મેં મારા અનુભવો ની ટેપ તૈયાર કરવા માંડી હતી. આમ વણ કહે સોનામાંસુગંધ ભળીને નિવૃત્તિની પ્રવૃત્તિની સ્ક્રીપ્ટનો જન્મ થયો

જન્મ, બાળ અવસ્થા, યુવા જીવન ટીન સંતાનો સાથેનું પ્રૌઢ જીવન અને વૃધ્ધાવસ્થા એ દરેક અવસ્થા નાં પ્રશ્નો અને ઉત્તરો જુદા જુદા હોય છે અને તેથી જ આપણી પુર્વ સંસ્કૃતિએ ચાર વર્ણ અને તે ચારે વર્ણ ની વાતો જુદી જુદી રીતે કહી છે આ પુસ્તક એજ વાતોનાં આધારે આજની જીવનશૈલી કેવી રીતે જીવવીની વાતો કરશે. આશા છે કે તમને ગમશે.

Leave a Reply

You must be logged in to post a comment.