પ્રકરણ – 2 પ્રવૃત્તિ મનગમતી હોય તો…

November 29, 2008

નિવૃત્તિ નાં વર્ષોને ઘણા “દાદા”ગીરી ના વર્ષો કહે છે. કારણ ખબર છે. આ વર્ષો માં તમે દાદા બનો છો સાચેજ તમારા વિચારો માં પરિપકવતા આવવાથી તમે દરેક મુસીબતો ને… જીવી જઈ શકો છો. વિજ્ઞાને તમને લાંબી આયુ નુ વરદાન આપ્યુ. તમે તમારી જિંદગી દરમ્યાન ઘણા સફળ માણસો ને મળ્યા… તેઓનું જીવન તમે જોયું. આ તબક્કે તમારી બુધ્ધી ક્ષમતા, સમજ અને કુશળતા શ્રેષ્ઠ હોવાની તેથી નવી કારકીર્દી કે નવા સાહસો માં સફળતા તરત મળવાની. આ બધી દરેક નવી વાતો માં તમારુ બદલાતુ વલણ તમને  બહુ જ મદદ કરશે તેથી હું એક વાત જરુર કહીશ અને તે તમને ગમતુ કામ કરજો… તમને ગમતુ કામ કરશો તો થાક નહીં લાગે.

ઉદાહરણ આપુ તો અમારા બીજા કવિ મિત્ર હિંમત શાહ નો અપાય… તેમને બે હાર્ટ એટેક આવ્યા ડોકટરો, મિત્રો અને કુટુંબી અને સ્નેહી જનો ના ચિત્ર વિચિત્ર નિયમનો થી ત્રાસી જતા અને કંટાળી ને કહેતા… મને નથી જોઈતી તમારી સલાહો… બંધનો… જીવન મારુ છે. મને મારી રીતે જીવવા દો.  કોઈને મળવુ નહીં અને ચીઢીયા સ્વભાવ થી આખુ કુટુંબ પરેશાન…..

એક દિવસ મેં તેમની ડાયરી ને કાવ્ય સંગ્રહમાં પરિવર્તીત કરવાની પ્રવૃત્તિ સુચવી અને સમય બંધન પણ રાખ્યુ કે… આદીલ મન્સુરી ઓકટોમ્બર 2002 માં આવે છે તો તમારાથી શક્ય હોય તેટલું મઠારી ને મને આપો પેન્સીલ થી લખેલ આખી કાવ્યોની સ્ક્રીપ્ટ “હળવાશો આ ભારે ભારે” બે અઠવાડીયા માં મને આપતા તેઓ બોલ્યા વિજયભાઈ તમે ડોકટર છો કે શું ?  મને આ બે અઠવાડીયા ઘણું સારુ લાગ્યું…. તમને કદાચ નવાઈ લાગશે પણ 18 કલાક હું કામ કરતો હતો પણ થાક તો કયાંય લાગતો નહોં તો ઉલટી સ્ફુર્તિ વરતાતી હતી.

મારે માટે આ બહુ મોટી જાણકારી હતી કારણ કે માણસનું મન કંટાળો આળસ અને બોર થઈ જવાનું વિચારે ત્યારે દિવસ લાંબો લાગે…. કલાકો જતા દેખાય ના… હિંમતભાઈ ને જે લોકો ની બીન જરુરી સલાહો અને નિયંત્રણો હ્દય રોગના નામે આવતા હતા તેથી કંટાળો આવતો હતો પરંતુ જયારે જુની ડાયરી ફરી લખવાની થઈ ત્યારે તે સંસ્મરણો ફરી તાજા થયા. વિચારો માં ગમતી વાતો ની ભરતી થી અને લખતા ભુંસતા નવુ સર્જન થતુ ગયું. દરેક કવિતાઓ ના જુદા જુદા વિભાગો પાડયા અને જુના લખાણો માં ઉંમરની પરિ પકવતા ઉમેરાતી ગઈ તેથી તે વઘુ સુંદર બની… તે દરેક વાતો એ તેમના મનમાં પડેલી પેલી બોરિયત કે ન કામા થઈ જવાની ભીતિ કાઢી નાખી…. તેમની અગાઉ બહાર પાડેલી બે ગીતો ની કેસેટ ની જેમ જ આ કાવ્ય સંગ્રહ માટે તેમનું મન થનગનતુ…. આદીલ મન્સુરી ના હાથે જયારે તેનું વિમોચન થયુ ત્યાં સુધી એટલે કે છ મહીના સુઘી તેઓ પ્રફુલ્લીત રહ્યાં અને મોગરા ની જેમ મહેંકતા રહ્યાં.

 

મારો નાનો પૌત્ર જય પણ જયારે તેની મમ્મી દુધ દહીં કે માખણ વાળુ ખાણુ આપે ત્યારે….. આઈ વોન્ટ મોર કહી મઝા થી લહેજત માણે… પણ જો તેમ કરતા કરતા જો કોઈક દવા નો ડોઝ આપવાનો થાયતો નો મોમ… ડોન્ટ વોન્ટ કહી ઘર માથે લે… આ વાત એમતો જરુર સમજાવે છે કે ગમતુ કરો તો તે ઝડપથી થાય… થાક ના લાગે અને સ્ફુર્તિ વરતાય 30 થી 60 વર્ષ ના સમયગાળા માં સમયના બંધનો… યરગેટ ડેટ, પ્રોજેકટ કમ્પલીશન ડેટ અને ઘણા બઘા ચિત્ર વિચિત્ર નિયમાધીન જીવન જતુ હોવાથી મહદ્ અંશે લોકો એમ કહેતા સંભળાય છે… જીવીયે છે ભાઈ… ઠીક છે… કંઈ મઝા નથી… કેમકે જે રીતે જીવવુ હોય તે રીતે જીવાતુ નથી -  મા બાપ ની તબિયત સાચવવી દીકરા દીકરીઓની ઉતર પ્રવૃત્તિ સાચવવી અને જિંદગી ની ખેચમ તાણીમાં કયારેય મનગમતો કાર્યક્રમ જોવા ન મળે… આ બોરીયત્ત માંથી… એક ધારી જીવાતી જિંદગીમાંથી મુક્તિ નો સમય મળે છે. 60 પછી…. કારણ કે ત્યાં સુધીમાં બાળકો તેમના સંસારમાં… અને ખાલી પડેલ ઘરમાં… હું અને તુ એકલા જેવી જિંદગીમાં મોટા ભાગે મનને ગમતુ કામ… ઘર રીમોડેલીંગ લોકો તરત જ કરતા હોય છે.

 

પહેલા પર્દા વિનાનાં ઘર તરફ ધ્યાન નહોતું જતુ તેવા મિત્ર સ્કોટ આડમ ને ડ્રીલ લઈ ભીંત ને કોચતો મેં જોયો ત્યારે ખુબ નવાઈ લાગી મેં પુછ્યુ તો જવાબ મળ્યો પહેલા હું અને તારા કદી વિચારતા નહોંતા કે પર્દા લગાડવાનુ અમને ફાવશે જુનિયર હતો તો તે કરશે ની આશા માં સમય જતો રહ્યો હવે ઘર ઘણુ મોટુ લાગે છે અને નવરાશ છે તો ડ્રીલ વાપરતા શીખી ગયો… તો લાગે છે આ કામ અઘરુ નથી તેથી કરવા માંડયો. તો લારા પણ ખુશ અને તેને કામે લગાડી દીધી તે પર્દા ની સાઈઝ, રંગ અને આના લાઈલર ના ઘક્કા ફેરા ખાતી થઈ ગઈ… બે દિવસથી નવુ કામ કરવાની મઝા આવી ગઈ. ખાસ તો બેટરી બદલ્યા પછી ડ્રીલ ફાસ્ટ ફરતી થઈ ગઈ. પહેલો સ્ફુ ચઢાવતા અર્ધો કલાક લાગ્યો. ભીત માં ગાબડુ પડયુ થોડી લારા સાથે તુ તુ મેં મેં થઈ… પણ હવે અર્ધો કલાકમાં 4 બારી થઈ તેથી તે પણ ખુશ અને હું જે વિચારતો હતો કે આમા શું ધાડ મારવા ની તે ઘણું શીખ્યો. કલોક વાઈઝ અને એન્ટી કલોકવાઈઝ ડ્રીલ ચલાવવી જેથી સ્ક્રુ ચઢે અને ઉતરે મને તો મઝા પડી ગઈ. આમેય કશુ કરવાનુ હતુ નહીં… કંઈક કામ કર્યું તો પૈસા પણ બચશે અને લારા પણ રાજી થશે… સ્કોટ આમ તો ફાર્મસી નો માણસ… સ્ક્રુ ડાઈવર કે ડ્રીલ કયારેય વાપરી ન હોતી થોડીક મથામણ ને અંતે કરેલ કામ થી તેને અને લારા ને એક એક ની નજીક આવવાની તક મળી અને ઘર ને લાઈટબીલ માં રાહત થશે અને રુપાળુ કરવાની તક મળી.

સ્કોટને નવુ કામ ગમ્યું તેથી તેણે મથામણ કરી લારા વારંવાર ફરિયાદ કરતી સ્કોટ રીટાયર થયો ત્યારથી તેની જિંદગી ખરાબે ચઢી… કારણ કે ઘરમાં બેઠો બેઠો ખણખોતર કરે….. રસોઈ બનાવે -  વાસણો બગાડે અને રસોઈ માં કોઈ ભલીવાર નહીં લારાએ સ્કોટ ને રસોડા બહાર મુક્યો તો  ગાર્ડન માથે લીધુ. તેથી લારા બહુ જ બગડી પણ સુથારી કામ ગમી ગયું. તેથી હોમ ડીપો અન લોઝ માં સ્વ પ્રયત્ને શીખવાડતા કલાસ લેવા માંડયા.

સ્કોટ પોતાની નિવૃત્તિ દરમ્યાન કશુ કરવુ છે ની માનસિક તકલીફો વેઠ તો હતો અને લારા ને તકલીફ આપ્યા વિના તેના ઘરમાં તેની જગ્યા શોધતો હતો. તે તેને મળી જતા તે જાણે કે નવી પ્રવૃત્તિ માં સક્રિય થઈ ગયો… શોખ ખાતર કરાતા આ કામ માં તેને ધીમે ધીમે આનંદ મળતો ગયો અને વરસમાં અંતે ડ્રીલ અને થ્રીલ નામની કન્સલ્ટન્સી ફર્મ શરુ કરી… જે ધીમે ધીમે હોબી સેન્ટર બન્યુ…

આવાત એમ સુચવે છે કે નિવૃત્ત એટલે નવરા નહીં… નિવૃત્ત એટલે ઘરમાં બેસી રહેવુ એમ પણ નહીં અને નિવૃત્ત એટલે પ્રવૃત્તિ હીત નહીં. જયારે 60 વર્ષે નાણાકીય નિવૃત્તિ આવે પણ પ્રવૃત્તિ માં નિવૃત્તિ નહીં.

 

ડો. પ્રફુલ શાહ સાથે મેં 2005 માં વાત કરી સાવરકુંડલા ના ઇન્દીરાબેન અને પ્રફુલભાઈ એ નિવૃત્તિ પછી ની તેમની પ્રવૃત્તિ શોધ નું બહું રસપ્રદ વર્ણન કર્યું. તેમના પૂ. મોટાબેન વિનોદીની બેન સુરેન્દ્રનગરમાં બાળકો ને ટીવી અને તેમા આવતી ઉશ્કેરાટ અને હિંસા પ્રવૃત્તિ થી દુર રાખવા ના પ્રયત્ન સ્વરુપે બાળ લાઈબ્રેરી ખોલતા તેમના બાપુજી ના નામે તેમણે 5-7 બાળ લાઈબ્રેરી જુદા જુદા લત્તામાં ખોલી છે. જયારે જયારે તે સાવરકુંડલા થી અમરેલી જાય ત્યારે બેન ની આ પ્રવૃત્તિ ને જુએ અને એ પ્રવૃત્તિ ની બીજ ઈન્દીરાબેન અને પ્રફુલભાઈ ના મનમાં રોપાયું.

 

બે વર્ષ બાદ 1997 માં અમરેલી નો તે રંગ સાવરકુંડલા માં કાઢયો. પહેલી બાળ લાઈબ્રેરી ખુલી.. સમય ની સાથે બાળકો વધ્યા… સુ સંસ્કૃત બાળકો પ્રસંગો વાત લાઈબ્રેરી ની ચોપડીઓ ના આધારે વિવકાનંદ બની તેમનું લખાણ ભજવે. તે સમય દરમ્યાન સોનલ મોદી અનુવાદીત પુસ્તક સંભારણા ની સફર જે સુધા મુર્તિ એ લખેલ પુસ્તક વાંચવામાં આવ્યું… જેમાં બાળકી સુધાને દાદા પાસેથી વાર્તા સાંભળવામાં શોખ… તેથી રોજ એક વાર્તા સાંભળે… એક દિવસ એક વાર્તા પુનરાવર્તીત થઈ અને સુધા એ દાદાને કહ્યું આ વાર્તાતો તમે કહેલી હતી… તે વાતે દાદા સુધાને લાઈબ્રેરી બતાવવા લઈ ગયા. અંતકાળે દાદા એ સુધા પાસે તેમના નામે એક લાઈબ્રેરી ખોલવા નું વચન લીધુ જે સુધા મુર્તી એ કર્ણાટક માં 10000 કરતા વધુ લાઈબ્રેરી ખોલી… ત્યારે પ્રફુલભાઈ ને અને ઈન્દીરાબેન ને તેમનુ નિવૃત્તિ નું કામ મળ્યુ તેમણે વિચાર્યું આપણે 100 લાઈબ્રેરી તો ખોલીયે….

પ્રફુલભાઈ અને ઈન્દીરાબેન સક્રિય થયા બાળ પુસ્તકો સંસ્કારી વાંચન સામગ્રી અને પ્રેરણા દાયક લખાણો નું લીસ્ટ બન્યુ… ભાવો કઢાવ્યા…. પબ્લીશરો અને ઘણા સરખા વિચારો નાં શિક્ષકો ને સાથે લઈ પુસ્તકો નું સ્કુલ પ્રમાણે વિતરણ થયુ… આ પહેલા 100 પુસ્તકાલય ને ખોલવામાં ઘણું શીખવા મળ્યુ… બીજા વર્ષે તે નંબર વધ્યા. ત્રીજા વર્ષે તેથી પણ આગળ વધ્યા…. સાથે સાથે તે પુસ્તકો નો સદુપયોગ -  નિબંધ સ્પર્ધા જેવુ ગોઠવાયું અને આજે તે કામ તેમનાં શ્ર્વાસ અને પ્રાણ છે.

મૂળ મુદો અહીં એ સમજવાનો છે કે જો મન હોય તો માળવે જવાય જો રસ પડે તો તે પ્રવૃત્તિ આનંદ દાયક બને… તેથી નિવૃત્તિ ના સમય માં તમને ગમતી પ્રવૃત્તિ શોધો અને કરશો તો કંટાળો નહીં આવે અને કંટાળો ન આવે તો થાક નહીં લાગે અને થાક નહીં લાગે તો જીવન જીવવા જેવું લાગશે

 

Entry Filed under: નિવૃત્તિ ની પ્રવૃત્. .


Email

Blog Stats

Recent Posts

Recent Comments

vijayshah on वाह क्या scene है !- લેખક-અશોક…
anilshah19 on वाह क्या scene है !- લેખક-અશોક…
anilshah19 on પત્ર-અમેરિકન સ્નેહીને જે હાલમા…
manharmody on મનનું સમાધાન
pravinash1 on 3 stupid stages of life………..em…

Top Posts

Top Clicks

 

November 2008
M T W T F S S
« Oct   Dec »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Categories

2

મારી અન્ય સાઈટ

મારી મુખ્ય સાઈટ

Archives

Spam Blocked

Meta