Archive for મે, 2010
“ટેરેસા” -રાજુલ શાહ

ટેરેસા એક એવુ નામ -એક વ્યક્તિ કે જે જીંદગીની ઢળતી એક ઉંમરે માણસ નિવ્રુત્તિવ્સ્થામાં ભૂતકાળના મીઠા સંસ્મરણોમાં રાચે ત્યારે એ સમસ્ત જીવનની યાદોને ભૂલીને કોરી પાટી જેવા મનોજગતમાં જીવતી હતી. જ્યાં કોઇ યાદ તો શું કોઇ ઓળખ કાયમી રહેતી નથી. માણસ કદાચ પોતાની જાતને પણ ઓળખી શકવા શક્તિમાન હશે કે કેમ એ પણ શંકા છે.એનુ કારણ અલ્ઝાઇમર. અલ્ઝાઇમર એક એવો રોગ કે જેમાં માણસ પોતાની યાદદાસ્ત ગુમાવી પોતાના માટે જ એક અજાણ વ્યક્તિ બની રહે છે. આસપાસની દુનિયા સાથે સેતુ ગુમાવી દે છે. ટેરેસા અલ્ઝાઇમર નામથી ઓળખાતા વિસ્મ્રુતિની ગર્તામાં ધકેલી દેતા રોગના ભરડામાં લપેટાયેલી ૯૦ વર્ષની વ્રુધ્ધા હતી.
ભારતમાં ઘરડાઘર હોય છે તેમ અમેરિકામાં પણ સિનીયર સિટીઝન હોમ હોય છે. કદાચ ભારતમાં લોકો મજબૂરીથી કે વખાના માર્યા ઘરડાઘરમાં રહેતા હોય તેના બદલે આવા સિટીઝન હોમમાં આથમતી ઉંમરે લોકો પોતાની મેળે સમજદારી પૂર્વક અગર તો બાળકો પર પોતાની જવાબદારી ન નાખવાના અહીંના સોશિયલ ઢાંચાને અનુસરીને રહેવા આવતા હશે. અહિં આ હોમમાં દરેક વ્યક્તિને એક અલગ અલાયદો સંપૂર્ણ સુવિધા સાથે નો અને કદાચ ઘર જેટલી જ આરામદાયી સગવડો સાથે રૂમ ફાળવવામાં આવતો હોય છે. એટલું જ નહીં પણ દરેકની અત્યંત કાળજીપૂર્વક માવજત લેવામાં આવતી હોય છે. આવા જ એક સિનીયર સિટીઝન હોમમાં ટેરેસાને મળવાનું થયું . (more…)
જિંદગી અને સાચા-ખોટા નિર્ણય-કૃષ્ણકાંત ઉનડ્કટ
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
-મરીઝ
જિંદગીને થોડીક જુદી રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો કહી શકાય કે, જિંદગી એટલે સાચા અને ખોટા નિર્ણયોનો સરવાળો. આપણાં સુખ અને દુ:ખનો ઘણો મોટો આધાર આપણે લીધેલા નિર્ણયો પર નિર્ભર કરે છે. નાના હોઈએ ત્યારે આપણે નાના નાના ડિસિઝન્સ લેતાં હોઈએ છીએ, મોટા થતાં જઈએ એમ એમ મોટા નિર્ણયો લેવા પડતાં હોય છે.
પ્રેમ, દોસ્તી, લગ્ન અને કરિયર, આ ચાર બાબતો એવી છે કે જેના નિર્ણય આપણને આખી જિંદગી અસર કરતાં રહે છે. માણસને જો ખબર હોય કે મારો આ નિર્ણય મને તકલીફ કે દુ:ખ આપશે તો એ કોઈ દિવસ એવો નિર્ણય લ્યે જ નહીં. નિર્ણયની સૌથી મોટી તકલીફ જ એ છે કે નિર્ણય સાચો હતો કે ખોટો એ તો પરિણામ આવે ત્યારે જ સમજાય છે.
માણસ કોઈ બાબતે નિર્ણય લ્યે અને તેનું પરિણામ આવે તેની વરચે ઘણો સમય વીતતો હોય છે. અમુક સંજોગો અને પરિસ્થિતિ જ ઘણી વખત એવા વળાંક લેતાં હોય છે કે માણસે ધાર્યું હોય કંઈ અને થઈ જાય સાવ જુદું જ. સાચી વાત એ હોય છે કે જે થવાનું હોય છે એ થઈ ગયું હોય છે. પરિણામ ભોગવવાનું હોય છે. પરિણામનું પોસ્ટમોર્ટમ કરીએ તો નિષ્ફળતાના કારણો સિવાય કંઈ હાથ લાગતું નથી. અનુભવ આપણને ઘણું બધું શીખવતો હોય છે એ વાત સાચી પણ અનુભવમાંથી હતાશા કે નિરાશા ન થાય એની ખાસ દરકાર રાખવી જોઈએ. (more…)
સુખી માણસ કોને કહો ?-ડૉ. સુરેશ દલાલ

સુખી માણસ કોને કહો ? તન, મન, ધનની જેને નિરાંત હોય. તન અને ધનની વચ્ચે મન છે. જેનું મન સંતોષી નહીં હોય એને ધનની બાબતમાં કદીયે નિરાંત હોય જ નહીં. કેટલાક માણસને જેમ પ્રશંસા ઓછી પડે છે. એમ મોટા ભાગના ધનિક માણસને પણ ધન ઓછું લાગે છે. મનની સાથે સંતોષ નહી સંકળાય તો ગમે એટલી મિરાતનો કોઈ અર્થ નથી હોતો. અને ગમે એટલી મિરાત હોય પણ શરીર જ દાદ ન આપતું હોય તો બધું જ કડવું ઝેર લાગે. પહેલું સુખ તે જાતે નર્યા, એમ કહેનાર જગતનો સૌથી શાણો માણસ હોવો જોઈએ. તનના માંદલા અને મનના માયકાંગલા માણસો માટે સુખ જોજનો દૂર હોય છે. સુખ સાપેક્ષ છે, એવી વધી તાત્વિક વાતમાં આપણે પડતા નથી. સુખની જગ્યાએ આનંદ શબ્દ પણ મૂકી શકાય.
તન, મન, ધન પછી સ્વજનનું સુખ. સાચો સ્વજન કોને કહેવાય ? એક જ જવાબ છે કે જે આપણા સુખમાં આનંદ લે અને આપણા દુઃખમાં પડખે રહે. બાકી તો સરઘસ કે સરકલ થઈ શકે એટલા બધા લોકો ક્યારેક આપણી આસપાસ હોય છે.
જીવનભર સ્વમાન સચવાય એ સૌથી મોટી વાત છે. સ્વમાન સાચવવાની વાત બીજાના હાથમાં નથી હોતી. એ આપણા પોતાના હાથમાં હોય છે. બધું સોંપાય, આપણું સ્વમાન કોઈને ન સોંપાય. મરે નહી ત્યાં સુધી કોઈ પણ માણસને સુખી ન કહેતા, એવું કોઈકે કહ્યું છે તેમાં કદાચ આ વાત પણ આવી જતી હશે.
ડૉ. સુરેશ દલાલના પુસ્તક ‘વ્યક્તિ અને અભિવ્યક્તિ’માંથી સાભાર
E mail by Vijay Dharia
નવી ભોજન પ્રથા-વિલાસ ભોંડે
શ્રી બી.વી.ચૌહાણ જેઓ જી.ઇ.બી.માંથી સુપરીન્ટેન્ડટ એન્જીનીયર તરીકે રિટાયર્ડ થયા છે. અને એમણે ખુબ વિચાર્યુ. પોતાને જાત જાતના રોગ હતા. ઘણી કસરતો કરી. રેકી, યોગ, પ્રાણાયામ, અયુર્વેદ, હોમીઓપાથી, પાણી, શિબાંબુ પ્રયોગો – બધુ કર્યુ. ટુકા ગાળામાટે રાહત રહે પણ રોગ નિર્મૂળ ન થાય. એટલામાં “રસાહાર” ઉપર એક પુસ્કત હાથમાં આવ્યુ અને પછી રામ ચરિત માનસ આધારિત ભોજન પ્રથાની વાત સમજમાં આવી ભગવાન ગીતામાં પણ પોતાને માટે “પંત્રં, પુષ્પં, ફુલં, તોયં” આટલુજ માગે છે. જુના જમાનાના ૠષિ-મુનિઓ કાચો આહારજ લેતા અને હજારો વર્ષ નિરોગી થઈ જીવતા. આધુનિક વિચારધારા વૈજ્ઞાનિક દૃષ્ટીકોણ ના લીધે વાત નહોતી આવતી.
પાણી ૯-૯ વરસ પોતાના ઉપર પ્રયોગો કરી જોયા. અકલ્પનીય લાભ થયો. રોગોનું નામોનિશાન ન રહ્યું. પછી પોતાના કુટુંબીજનો ને કહ્યું. બધાના પ્રયોગોનું ખુબ સારૂ લાગ્યુ. અને જે મેળવ્યુ બંને જાહેર નવી ભોજન પ્રથા ની વાત મુકી. તેસો બહુજ સરળ રીતે બધાને સમઝાવે છે. કોઈ જબરદસ્તી નહી. વાત સાંભળો, સમજો, પ્રયોગ કરી જુઓ. ફાયદો થાય તો ચાલુ રાખો નહી તો ૩-૪ મહીના પછી છોડી દો.
તેમની પ્રથામાં ફાચા શાકભાજી અને ફળો ખાવા ઉપર ભાર આપવામાં આવે છે. ભગવાને બધાને કાચુ ખાવાનું સમજાવ્યું.
ફકત માણસજ રાંધે છે. રાંધવાથી ખોરાકમાંના બધા જીવનસત્વો નષ્ટ થાય છે. એક પ્રયોગ આના માટે કરી શકાય. અનાજના દાણા લઈ, કેટલાકને સેકવાના, કેટલાક બાફવાના, કેટલાક રાંધવાના – તજવાના. અને કેટલાક કાચા રાખવાના. જમીનમાં આ બધા રોપ્યા પછી ફકત કાચા દાણા માંથી અંકુર ફુટશે. કારણ એમાંજ જીવન છે. બાકી તો બધો મૃત આહાર છે. આપણે બધા જાણીયે છીયે કે કાચા શાકભાજી અને ફળોમાં ફાયબર ખુબ હોય છે. જે પચવામાં બહુજ હલકુ અને બીજા આહાર માટે પાચક હોય છે. માટે આ આહાર લેવાથી પેટ સાફ રહે છે. જેથી બીજા રોગો થવાનુ પ્રમાણ ઘટે છે.
ઉચ્ચ સમાજમાં કાચુ ખાવાની, ડાયટ ઉપર રહેવાની ફઁશન થઈ છે. ખાંડ અને મીઠુ પણ ન ખાવુ જોઈએ. અઁલોપઁથીનાં પણ આ વસ્તુ કેહવામાં આવે છે. શ્રી ચૌહાણ સાહેબના પ્રયોગ મુજબ દુધ પણ ન પીવું જોઈએ. જયારે શિશુને દુધની જરૂર હોય છે ત્યારે ભગવાન માતાને દુધ આપેજ છે. ભગવાન આપણી બધીજ ચિંતા કરતો હોય છે. આપણેજ જાતજાતના આહાર પદાર્થો પેટમાં ઠાસી-ઠાસીને ભરીએ છીએ અને રોગ ને આમંત્રિત કરીએ છિએ. જયારે આપણાને જરૂર હોય ત્યારે તરસ લાગે., ભૂખ લાગે. ભગવાનને બધી વ્યવસ્થા સારી રીતે કરી રાખેલ છે જેમા આપણે ખલેલ પહોંચાડીયે છીએ.
નવી ભોજન પ્રથા મુજબ સવારે ૧૨ વાગે કાચો આહાર લેવો જેમાં બધાજ પ્રકારના શાકભાજી અને ફળો આવે. અનાજ ન લેવું. રાંધેલ ખોરાક પણ ન લેવો. સવારે ઉઠીને ૧૨ વાગ્યા સુધી પેટને આરામ આપવો. ઉપવાસ એ રોગને હણનાર શસ્ત્ર છે. અડધા દિવસનો ઉપવાસ પણ ચાલે. રાત્રે આપણો નિયમિત ખોરાક લેવાય. પણ રાંધેલ ખોરાક ઓછો શાક વધારે. સારા અને જલ્દી પરિણામ માટે સવાર સાંજ કાચો ખોરાક જ લેવો. ૯-૧૦ દિવસમાં એકવાર ઉપવાસ કરવો. શકય હોય તો શરૂઆતમાં ૧-૨ મહીનો રોજે એનીમા લેવો જેથી પેટ સાફ થઈ જાય.
કાચું ખાવામાં બધાજ પ્રકારની શાકભાજી/કંદમૂળ જેમ કે બટાકા, ડુંગળી, કોથમીર , ફુદીનો, મરચા, આદુ, લસણ, શક્કરીયા, કોળું, ગિલોડા, ગલકા,દુધી, તુરીયા, કારેલા, કંટોલા, પરવર, ભીંડા, ચોળી, પાલક, પાન, તાંદળજો, મેથી, કોબી, ફુલેવાર, મીઠી લીમડો, તુલસી, મુળો, બીલી મગ, ગાજર, બીટ, ટામેંટા, રીંગણ, – ગમે તે. ફળોમાં જે તે ઋતુમાં સહેલાઈ થી મળે. સસ્તુ મળે છે લઈ શકાય. દાત. કેળા, પપૈયુ, ચિકુ, સફરજન, ટરબુજ, શક્કરટેટી, નાસપતી, મોસંબી, સંત્રા વિગેરે. સવારના અપવાસની ટેવ ધીરે ધીરે પડી શકાય. ૧-૧ કલાક ચા-નાશ્તાનો સમય મોડો કરતા જવાય જેથી ૧૨ વાગ્યા પહેલા પેટમાં કઈજ જાય નહી, પાણી પણ નહી, તેવીજ રીતે કાચુ ખાવા માટે પણ એના ઉપર સ્વાદિષ્ટ ચટણી બનાવી નાખી શકાય, સંચળ, સૈંધવ, મીઠુ, લીંબુ, હિંગ, જીરૂ, મરી , તજ, લવીંગ, વિગૈર લઈ શકાય. કાયમ માટે લીંબુ, મધ, આદુ, વરીયાળી વિગૈર પાણી સાથે લેવાય. બધીજ જાતના રસાહાર કરી શકાય.
જેમને-જેમને આ પ્રયોગ કર્યા છે, આશ્ચર્યકારક પરિણામો મેળવ્યા છે. ઘણા બધા રોગો જેવા કે બી. પી., કોલેસ્ટ્રોલ, ડાયબીટીસ, અઁસીડીટી, ઓછુ/વધુ વજન, કબજીયાત, વા નો દુખાવો, માથાનો દુખઅવો, શરદી-ખાંસી, અસ્થમા, કમરનો દુખાવો, સાંધાના દુખાવો, અઁલર્જી બધા ચામડીના રોગો , થાયરોઇડ, ટી. બી., હૃદયરોગ, અને કઁન્સર સુધીના દર્દીઓને રાહત મળેલ છે. અને દિવસોમાં મહીના ઓછા જ. મારી વરસોની અઁસીડીટીમાં રાહત મળેલ છે. શરૂવાતમાં કદાચ થોડી તકલીફ થાય જેમ કે જાડા, શરદી, માથાનો દુખાવો, ચામડીમાં પણ આ તો બદ લાવો બધે નિકળી જાય છે. માટે ઘબરાવવું નહી.
માટે મારી વાચકોને નમ્ર વિનંતી છે કે એકવાર આ પ્રયોગ કરી જોવો. કઈ પણ પુછવું હોય તો શ્રી બી. વી. ચૌહાન સાહેબનો સંપર્ક સાધવો તેઓશ્રી હમેશામાટે સેવા કરવા તત્પર છે. એમના ફોન નં. ૦૨૭૯૨-૨૨૬૮૬૯, ૯૨૨૮૪૩૩૮૯૯, ૯૩૨૮૦૭૦૨૮૯, ૯૪૨૬૧૨૭૨૫૫


Recent Comments