Archive for December 25, 2011
શતાયુ થવાનાં કીમિયા (૫)
કીમિયો ૫ સુવિચારોને વાગોળો.. પચાવો અને તે રીતે જીવતા શીખો. આ સુવિચારો અનુભવોનું નિતારણ છે. ( સંકલન) વર્તમાન પત્રોમાં આ સુવિચારો રોજનો એક જ આવેછે કારણ કે તેની સુવાસ આખા દિવસ સુધી રહે છે. તેથી જ આ સંકલન દિવસનું એક સુવાક્ય વાંચવું અને વાગોળવુ.
- નજરમાં અમિ તેને દુનિયા ગમી. જીભમાં અમિ તેને દુનિયા નમી.જેની સમજ્માં અમિ તેને સુખની શું કમી?
- ભાગીયાને કહે ચાલો તેને ત્યાં લક્ષ્મી આવે અને ભાગીયાને જે કહે જાવ તેને ઘરેથી લક્ષ્મી પણ જાય.
- ભુલોથી અનુભવ વધે. અનુભવ વધતા ભુલો ઘટે
- પ્રભુ એ ” સ્પેર વ્હીલ” નહીં “સ્ટીયેરીંગ વ્હીલ” છે
- તમે જેને અને જે તમને સંભાળે છે તેમને જણાવો કે તમે તેમની દરકાર કરો છો. (more…)
શતાયુ થવાનાં કીમિયા (૪)
કીમિયો ૪ જાતમાં રાખી શ્રધ્ધા માન
કવિયત્રી ડેના ડેનીયલની કવિતા અત્રે અનુવાદ કરીને મુકી છે
Believe in Yourself, જાતમાં રાખી શ્રધ્ધા માન
Anything Is Possible શક્ય છે સઘળુ બનવું
Believe in Yourself, જાતમાં રાખી શ્રધ્ધા માન
and Remember that અને યાદ રાખ
Anything Is Possible શક્ય છે સઘળુ બનવું (more…)
શતાયુ થવાનાં કિમીયા (૩)
કીમિયો ૩ પોઝિટિવ બનો, જિંદગી ગુલાબ જેવી મઘમઘતી બની જશે
એક વૃદ્ધ જાપાનીને તેના પંચોતેરમા વર્ષે ચીની ભાષા શીખતો જોઈને કોઈએ કહ્યું ‘ભલા માણસ! ઘરડે ઘડપણ આ ચીની ભાષા શીખીને શું કરશો?’ તમારો એક પગ તો મસાણમાં પહોંચી ગયો છે! ઝાડ ઉપરનું પીળું પત્તું ક્યારે ખળી પડશે તેનો ભરોસો નથી તો તમે તો આયુષ્યના છેવાડે… તે માણસને બોલતો અટકાવી પેલા જાપાનીએ તેને ટોણો મારતાં પૂછ્યું ‘આર યુ ઇન્ડિયન?’ તું ભારતીય છે?
પેલાએ હા પાડતાં કહ્યું ‘પરંતુ મારા આ પ્રશ્નને અને ચીની ભાષા શીખવાને શું સંબંધ છે?’ વૃદ્ધે હસીને કહ્યું ‘ઉંમર વધતાં તમે ભારતીયો હંમેશાં મૃત્યુના વિચાર કરો છો. અને અમે જાપાનીઓ જીવનનો વિચાર કરીએ છીએ. હું સાઠ વર્ષનો હતો ત્યારે પણ મને એક ભારતીયે આવો જ પ્રશ્નો પૂછ્યો હતો. અને ત્યાર પછી તો હું સાત ભાષાઓ શીખ્યો છું અને બે વાર વિશ્વમાં ભ્રમણ કરી ચૂકયો છું.! (more…)
શતાયુ થવાનાં કિમીયા (૨)
કીમિયો ૨. ઓછું ખાઓ લાંબું જીવો.
ચિંતક અને લેખક શ્રી કાંતિ ભટ્ટ દિવ્ય ભાસ્કરમાં લખે છે કે દીર્ઘાયુ જ નહીં દીર્ઘ આરોગ્યની કાળજી લો. લાંબા આયુષ્ય સાથે લાંબી,તંદુરસ્તી જ નહીં પણ ‘હેપ્પીનેસ’ મહત્વની છે. ૬૦૦ વર્ષ જીવી શકાય પણ ૬૦ સુધી જીવો કે ગમે ત્યાં સુધી પણ આરોગ્યમય જીવવા ભોજન ઓછું કરતા જાઓ. સાંજે માત્ર ફળાહાર કરો. ઇટલેસ એન્ડ લીવ લોંગ! ઓછું ખાઓ લાંબું જીવો.
માત્ર મહાત્મા ગાંધીજીને દીર્ઘાયુ જ ન નહીં દીર્ઘ-આરોગ્યની ચાવી મળી ગયેલી અને તે ચાવી હતી ‘નિસર્ગોપચાર’. જો તેને ગોડસેએ ગોળી ન મારી હોત તો હું ખાતરીથી કહું છું કે તે ૧૨૫ વર્ષથી વધુ જીવ્યા હોત અને તંદુરસ્ત જીવ્યા હોત. તેમનો નિસર્ગ-આહાર અને નિસર્ગોપચારની શ્રદ્ધા તેમ જ મનુ-આભાના શરીરની ઉષ્મા તેમને લાંબુ જીવાડત. તાજેતરમાં સત્ય સાઇબાબા માત્ર ૮૫ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા તે પહેલાં કેટલાય આધ્યાત્મિક પુરુષો (અને ખાસ રામકૃષ્ણ પરમહંસ કેન્સરથી વડોદરામાં) પીડાયા હતા. વડોદરામાં રામકૃષ્ણ મિશન અને વિવેકાનંદના સંચાલક સ્વામિ નિબિલેશ્વરાનંદજી મહારાજ મારે ઘરે પધાર્યા ત્યારે મેં તેમને આજ પ્રશ્ન પૂછ્યો તો તેમણે બચાવ કર્યો કે રામકૃષ્ણજીએ શરીર કરતાં આધ્યાત્મિક સાધના ઉપર જ સર્વે ધ્યાન આપવું હતું, પણ ૨૧મી સદીના માનવી માટે આવો બચાવ વ્યવહારુ નથી. ધીરુભાઇ અંબાણી અને બીજા અબજપતિ ઉદ્યોગપતિઓ સ્વાસ્થ્યની પરવા કર્યા વગર ‘વહેલા વહેલા’ ગુજરી ગયા તેમાં એ બહાનું ન ચાલે કે રિલાયન્સને ધીગી કરવા તેમણે સ્વાસ્થ્યની કાળજી ન કરી. શું કામ ન કરી ? તમે મિલકત છોડી જાઓ છો. સેંકડો ઉદ્યોગપતિઓ મિલકતો કમાઇને સંતાનો માટે છોડતા જાય છે. શું બે-ત્રણ દીકરા કે દીકરીઓ તમારી મિલકત માટે કાયમી કંકાસ કરે તે માટે તમારે આરોગ્યની ઐસી તૈસીકરવી? (more…)
શતાયુ થવાનાં કિમીયા (૧)
Life’s tragedy is that we get old too soon and wise too late. -Benjamin Franklin
“શતાયુ ભવ” કે “દીર્ઘાયુ ભવ” નો આશીર્વાદ આપતા વડીલોને પણ કદાચ ખબર નહીં હોય કે તે આશીર્વાદ નહીં કેટલાયને માટે એ શાપ હશે. જોકે એ આશીર્વાદ કે શાપ સાબિત થતા પહેલા જેમને તે આશિર્વાદ મળ્યા હોય તેને કેટલાય કલાકો કસરતમાં અને શરીર સાચવવામાં જતા હોય છે . હરિકૃષ્ણ દાદા આજે પણ ૯૩ વર્ષની ઉંમરે રોજનાં ૧૦૦૦૦ પગલા ચાલતા હોય છે.
શતાયુ થવું એ આશીર્વાદ ત્યારે બને કે જ્યારે શરીર સારું હોય..પુરતા પૈસા કે જે મનની શાંતિ આપતા હોય અને જિંદગીમાં આધી વ્યાધી અને ઉપાધીને પહોંચી વળવાનું સચોટ હકારાત્મક મનોબળ હોય.
શતાયુ થવું એ શાપ ત્યારે બને જ્યારે ઉપર જણાવેલ વાતો જેવું કશું ના હોય. જેમકે માંદગી થી ભરેલું શરીર અને વિચ્છેદિત કુટુંબ હોય..ને સૌથી વધુ આગત્યની વાત પૈસા ન હોવાને કારણે અશાંત નકારત્મક વાતાવરણ હોય.
મારી વાતોમાં નકારાત્મક વાતો ન હોય અને તે બાબતને હું ગર્વથી કહું છું કારણ કે રડતા માનવીઓ દુઃખને વધુ વહાલ કરતા હોય છે કે સદા “હું બીચારો મને કેટલું દુઃખ” કહીને સહાનુભૂતિ મેળવવા મથતો હોય છે. દુનિયા આવા રોતલ અને બીચારા બાપડા સાથે રહેવા માંગતી હોતી નથી. તેમને તો તેમનું દુઃખ હરણ કરે તેવી કંપની ગમતી હોય છે. તમે જો આવા બાપડા અને બીચારા હો તો શતાયુ થશો કે કેમ એ શંકાસ્પદ ઘટના હશે અને જો તમે જીવશો તો પણ મહદ અંશે એકલા અને મુંઝાયેલા હશો. (more…)


Recent Comments