શાંતિ જોઇએ છે?-”સ્વ”માં વસ અને “પર”થી ખસ

January 4, 2012 at 7:06 pm 2 comments

દુનિયાની ચિંતા છોડો, ભીતરે જ વસી છે શાંતિ

તે આણશે પરિવર્તન,”સ્વ”માં વસ, “પર”થી ખસ.

 

નિવૃત્ત જીવન માં દાખલ થતા એક વાત સમજવી જરુરી છે અને તે છે “સ્વ”માં વસવું અને “પર” થી ખસવું. આ વાત તો સાવ નાની છે પણ તે આત્મ સાત કરવી તે સાધના છે.

એક સીધી વાત કહીયેતો આપણને હુકમો કરવા ગમે છે પણ કોઇ આપણને હુકમ કરે તો ગમતું નથી. કેમ?

આપણે બીજા માટે સલાહ આપવાની હોય તો ક્ષણની પણ વાર નથી લગાડતા પણ આપણે આપણેજ જો તે સલાહ પર અમલ કરવાનો હોય તો તે આપણ ને ગમતું નથી. કેમ?

માણસ માત્રને અન્યની વાતો..અન્યની ક્ષતિઓ અન્યની બુરાઇને ચગાવવા કે વાગોળવા ગમે છે. અને આ પરિસ્થિતિને “પર”માં વસ કહે છે.

આ પરિવર્તનને આત્મસાત કરવા કેટલાંક પ્રયોગો કરવા પડશે. જેને મનોવૈજ્ઞાનિકો “ Transaction Analysis” કહે છે. આ માન્યતા મુજબ દરેક વ્યક્તિમાં એક બાળક એક  એક પુખ્ત અને એક વૃધ્ધ માણસ હોય છે. જ્યારે તમે વાત કરો ત્યારે સામા માણસ નાં પ્રતિભાવો ત્રણ પ્રકારનાં હોય.

બાળક્ની વાતોનો પ્રતિભાવ વૃધ્ધ માણસ સરસ રીતે આપે કારણ કે બાળક શીખવાનાં મત માં હોય અને વૃધ્ધ શીખવાડવાનાં મતમાં તેથી બાળકનાં પ્રશ્નો હોય પણ અભિમાન ના હોય જે વૃધ્ધ સરસ રીતે આપે. પુખ્ત માણસ નાં પ્રતિભાવમાં તેનો વિવેક અથવા અભિમાન આવે અને વાત ચેડાઇ શકે અને વૃધ્ધની વાતોમાં જાણકારીનું અભિમાન ટકરાયા વિના ના રહે. તારા કરતા હું વધુ જાણું વાળી વાતો આવે અને આવે જ.

મોટી ઉંમરે જો “સ્વ”માં વસ વાળી વાત હશે તો ખટરાગ ઉભો જ નહીં થાય કારણ કે મનમાં પ્રશ્નનો જવાબ “ એમાં મારે શું?” આવશે. અથવા “ભાઇ દરેક જણ ને પોતાનો ક્રોસ જાતે ઉપાડવાનો છે.”

જૈન સિધ્ધાંતોમાં અનેકાંતવાદ આ વાત બહુ સરસ રીતે સમજાવે છે અને કહે છે ભાઇ તું પણ સાચો હોઇ શકે છે અને હું પણ સાચો હોઇ શકું છું. મને મારી વાત સાચી છે અને તારી વાત ખોટી છે તેવું કોઇ મમત્વ જ નથી.

મહદ અંશે આ વાતનો જવાબ એ આવશે કે ભાઇ તમે જો સંસારમાં રહેતા હશો તો આ પલાયન વાદ તમને બદનામ કરશે.

Entry filed under: અન્ય બ્લોગ ઉપરથી ગમે, નિવૃત્તિ વિજ્ઞાન. Tags: .

2011 in review મુંઝાય છે – ચિનુ મોદી

2 Comments Add your own

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other followers

Blog Stats

  • 26,312 hits

Recent Posts

 

January 2012
M T W T F S S
« Dec   Feb »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Follow

Get every new post delivered to your Inbox.