Posts filed under 'નિવૃત્તિ ની પ્રવૃત્'
સંયુક્ત કુટુંબનું લૂણ – તટસ્થ નીતિ
આજની તારીખની બુમરાણ એ છે કે સંયુક્ત કુટુંબની જૂની આર્ય પદ્ધતિ બુરી રીતે તૂટતી જાય છે. પશ્ચિમિકરણનું આંધળું અનુકરણ ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોને ખતમ કરી રહી છે. પશ્ચિમનાં લોકો જ્યારે એમની સંસ્કૃતિના માઠા મૂલ્યો ભોગવીને મૂળભૂત ભારતીય મૂલ્યો તરફ વળી રહ્યા છે ત્યારે આપણે એ વસ્તુ છોડીને એમના એંઠવાડ તરફ વધી રહ્યા છીએ.
બે પરિવારોની વાત અત્રે કરું છું. અવા ઘણા પરિવારો અસ્તિત્વમાં હશે જ.
એક પરિવાર એવો છે કે જ્યાં પુત્ર અને પુત્રવધૂ મા બાપને ઠોકરે ચડાવે છે. પુત્રી મા બાપને જાળવવા પ્રયત્નશીલ છે – પરંતુ મા બાપ પુત્ર અને પુત્રવધૂની મમતા છોડી શકતા નથી. તેમને પોતાની વૃધ્ધાવસ્થાની બધી સંપત્તિ સોંપી દેતા અચકાતા નથી. આ કથની છે તે કથાના પુત્ર અને પુત્રવધૂ દોષિત છે. પુત્રી લાગણીથી જ્યારે મા બાપને સાચવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એમને એમ કહેવાય છે કે દીકરીને તો વળાવી એટલે સાસરીની… ત્યાં તમારું જે થવાનું હોય તે થાય અમારે મન તો છોકરી પારકું ધન… અત્યાર સુધી જાળવી.. હવે ક્યાં સુધી જાળવીએ… લાગણીથી દીકરી એમ કહે કે ‘આ પુત્ર અને પુત્રવધૂ કેવી કઠોર રીતે તમને રાખે છે…. તમારું હૈયું નથી વલોવાતું ?’… તો જવાબ મળે - ‘ના, અમારી તો એ ઘડપણની લાકડી છે. એમની કઠોર રીતથી અમને જે વીતે છે તે વીતવા દો. પણ તમારું તમે સાચવો.’ (more…)
Add comment September 17, 2009
ખીચડી-મહેન્દ્ર (માઇક) વોરા
૧. અકરમી કોને કહેવાય ? ઊંટ પર બેઠા હોય છતા જેને કુતરું કરડી જાય એ અકરમી !!
——————————————-
૨. તમારા ચમત્કાર તમે જાતે જ કરો, કારણ કે ભગવાન બીજે ક્યાંક અતિ વ્યસ્ત છે !!
——————————————–
૩. ઘણા પુરુષો સ્ત્રીને ધ્ધીકારે છે, કારણ કે સ્ત્રીને બધું જ યાદ રહેતું હોય છે !!
——————————————–
૪. પ્રેમ એટલે પ્રથમ વાર ચોડેલા ચુબનમાંથી ગૂંજેલો મીઠો-મૃદુ ચિત્કાર !!
——————————————–
૫. પુરુષોને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!
———————————————-
૬. તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
———————————————– (more…)
Add comment September 8, 2009
જીવનનું અંતિમ પર્વ..સંકલન-વિશ્વદીપ
ઘડપણમાં બાદબાકી નથી..
ઘરડા થઈ ગયા,નકામાં થઈ ગયાં તેવું માનવાને કોઈ કારણ નથી.’વૃદ્ધ’ શબ્દ છે, વયથી જે વૃદ્ધ છે તે.વયોવદ્ધ વ્યક્તિ તે તો સમાજની મોટી થાપણ છે. એક પરિપક ચિત્ત સમાજનું વટવૃક્ષ સમું ઉપયોગી સાધન છે.એક ઘેઘુર વડલો એટલે અનેક પશુ,પંખી તથા માનવ માટેનું આશ્રયસ્થાન, વિરામસ્થાન.વૃદ્ધ એટલે ખેડાયેલી જમીન. અનેક ઉજ્જવળ કારકિર્દી પાર કરીને આવેલાં વૃદ્ધોએ નવી પેઢી માટે જીવતા કોશ સમાન છે.જીવન આખરે અનુભવવાની ચીજ છે. વૃદ્ધત્વ પાસે બીજું કાંઈ હોય કે ના હોય, અનુભવ તો છેજ. ભારતિય સંસ્કૃતિએ વૃદ્ધોને માનવસભાનું ઘરેણું માન્યા છે.
ઘડપણ જીવનની સંધ્યાનું આ બદલાતું ટાણું છે.જીવનનો દોર હાથમાં લઈ કૃતસંકલ્પ થવાનું છે .ક્યો છે આ સંકલ્પ? આજ હું મારી વૃદ્ધાવસ્થાને લીધે મનોમન લાચારી તો હરગીઝ નહી અનુભવું. બલકે મારા અંતરને આત્મવિશ્વાસથી છલોછલ છલકાવી દઈશ, નમ્રતાપૂર્વક હું જીવનના વણદીઠ મુકામોની યાત્રા કરીશ . હજુ સુધી નહીં ખોલેલા જીવગ્રંથનાં પ્રકરણોના શબ્દેશબ્દને હૈયે ઉતારીશ .મારા જીવનવૃક્ષની ડાલે ઊગેલા આ પીળા પાંદડામાં હું ગોકુળને અને પીતાંબરધારીને અવતારીશ.” જીવન એક મહાસાગર છે. મહાસાગરને ગમે તેટલો ખેડો એ હંમેશા અતળ જ રહેવાનો. .લાખમોતી પરવાળા. નીલમ એકઠા કરો, તોય રત્નાકર સાગર બીજા એવા કરોડો રત્નો પોતાની પાસે બાકી રાખવાનો એટલે કદીયે ‘જિંદગીમાં બધું પામી લીધું’- એવું કોઈ કહી શકે નહીં. જિંદગી અખૂટ યાત્રા છે.
સંતાનો સાથેનો સંબંધ
વૃદ્ધવસ્થા એ જીવનનો એક વળાંક છે. બદલતા જીવનનાં તમામ પાસાંને વિશદરૂપે સમજી લેવા જોઈએ.વૃધ્દાવસ્થામાં સંતાનો સાથીનો સંબંધ તો સમગ્રપણે સમજી લેવો જોઈએ, કારણકે સંબંધ હસાવનારો હોય તેજ રડાવી શકે છે. અત્યાર સુધી સંતાનો સાથેના સંબંધમાં ભલે જે ભુલો થઈ તે થઈ, ખોટા ખ્યાલો સેવાયા તો ભલે સેવાયા, પરંતુ હવે ‘જાગ્યા ત્યારથી સવારની તૈયારી થાય તો હજુ પણ કશુજ બગડી ગયું નથી.
પોતાના જ પેટનાં જણ્યા અંગે આપણા મનમાં કાંઈક કસર રહી જાય છે તેનું કારણ આપણી વધારે પડતી અપેક્ષાઓ.માબાપ રુપે આપણે પણ આપણી જાતને કેન્દ્રમાં રાખીને સંતાનનો વ્યવહાર ગોઠવાય એવાં સ્વપ્નાં જોઈએ છીએ, જે કદીયે સંભવ નથી. દરેકને પોતાનું જીવન છે. કોઈ આપણને કેન્દ્રમાં રાખી પોતાનો જીવન-વ્યવહાર ગોઠવે એવી અપેક્ષા તો હિંસા છે, શોષણ છે,અનીતિમતા છે, જાવન એક પવિત્ર ચીજ છે. દરેકના જીવનનું સ્વતંત્ર્ય જાળવવું એ માનસ માત્રની પવિત્ર ફરજ છે.ત્યાં સંતાનોનાં સ્વતંત્ર્યનું રક્ષણ થવું જ જોઈએ.
અપેક્ષાઓ એવી સેવી ન બેસીએ કે સંતાનો પર બોજ પડે. કોઈને ના પાડવાની પરિસ્થિતિમાં મૂકવા એ હિંસા છે. સામીની વ્યક્તિની સહનશીલતા, ક્ષમતાનું માપ કાઢી લઈને આંક આવે એના કરતા ઓછો બોજો જ આપણે તેના પર નાંખવો જોઈ એ. આ જ સંબંધોનું ગણિત.
વૃદ્ધાવસ્થામાં આપણાં સંતાનો સાથેના સંબંધમાં મનને બહુ આળું કરી નાંખવાની જરૂર નથી.આપણે સમજી લેવું જોઈ એ કે દીકરા-વહુન એમનું પોતાનું જીવન છે, એમનો પોતાનો સંસાર છે, એમના પોતાના વ્યવહાર છે. એમને એમની રીતે જીવવાનો અધિકાર છે.
એક દિવસ સોક્રેટિસે એક વૃદ્ધને એના પૂર્વજીવન વિશે પૂછ્યું.પેલાએ લંબાણથી આખી કહાણી સંભળાવી એનાથી સંતુષ્ટ થઈ સોક્રેટિસ કહે,”તમારું આજ સુધીનું જીવન તો બહું સારી રીતે ગયું કહેવાય ,પણ ઘડપણમાં કેવી રીતે જીવો છો, એ તો કહશો?”
પેલા વૃદ્ધે કહ્યું:‘આખી જિંદગી સુધી જે કાંઈ માલ-મિલકત, કીર્તિ-પ્રતિષ્ઠા કમાયો તે બધું સંતાનોને આપી દીધું છે. હવે છોકરો બેસાડે ત્યાં બેસું છું, ખવડાવે તે ખાઉં છું ને છોકરાનાં છોકરાને રમાડું છું. એના કામમાં જરાય આડો આવતો નથી. છોકરો કંઈક ભૂલ કરી બેસે તો પણ કાંઈ બોલતો નથી. પણ જો એ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવનો નિચોડ ઠાલવું છું. પણ એ મારી સલાહ મુજબ ચાલે છે કે નહી તે જોતો નથી. મારો આગ્રહ પણ નથી હોતો. એ ભૂલ કરે તો ટોંકતો પણ નથી અને છતાંય ફરી સલાહ માટે આવે તો એ વાતો ફરી કહેતાં હું થાકતો પણ નથી” વૃદ્ધની વાતો સાંભળી સોક્રેટિસે ખુશ થતાં કહ્યું:” ઘડપણમાં કેમ જીવવું એ તમને આવડે છે ખરું!”
સંકલન-વિશ્વદીપ
(સૌજન્ય :જીવનનું અંતિમ પર્વ-મીરા ભટ્ટ)
Add comment July 13, 2009
વયમર્યાદા એ વળી શું?- Vrunda Manjeet/ Javlant Chhaya
નવું નવું શીખતાં રહેવાની ધગશ માત્ર બાળકો અને યુવાનોમાં જ હોય એવું કોણે કહ્યું? મઘ્યવય વટાવ્યા પછી પણ નવા શોખ કેળવી શકાય છે, નવી પ્રવૃત્તિઓ કરી શકાય છે અને તન-મનને તરોતાજાં રાખી શકાય છે.
સારા લોરેન્સ લાઇટફૂટ નામનાં લેખિકાએ પોતાનાં ‘ધ થર્ડ ચેપ્ટર’ પુસ્તક માટે બે વર્ષ સુધી મુસાફરી કરીને ૫૦થી ૭૦ વર્ષની વયજૂથમાં સ્થાન પામતી કેટલીય વ્યકિતઓના ઇન્ટરવ્યુ કર્યા પછી એમના જીવનના અંતરંગ અનુભવોનું પોતાનાં પુસ્તકમાં અદ્ભુત રીતે ચિત્રણ કર્યું. અહીં આપણે ગુજરાતના એવા કેટલાક જૈફ વયના લોકોની વાત કરવી છે, જે જીવનના ઉત્તરાર્ધમાં પણ પ્રવૃત્તિઓથી હર્યુંભર્યું જીવન જીવી રહ્યા છે. એમનો જીવનરસ એટલો ઉત્કટ છે કે તેઓ પાછલી વયે પણ કશુંક નવું શીખવાના ઉત્સાહથી થનગને છે.
ડો. દીપક ચોપડાએ તેમની બેસ્ટ સેલર બૂક ‘એજલેસ બોડી એન્ડ ટાઇમલેસ માઇન્ડ’માં લખ્યું છે કે માણસની ઉંમરના ત્રણ તબક્કા હોય છે. એક છે, ક્રોનોલોજિકલ એજ એટલે કે તમે જે તારીખે જન્મ્યા હો તે પ્રમાણેની ઉંમર. બીજી, બાયોલોજિકલ એજ જેના પરથી કહી શકાય કે સમયના ચાબખાએ તમારા શરીરને નબળું બનાવી દીધું છે કે તમારું મન અને તમારો જુસ્સો હજુય અડીખમ છે! …અને ત્રીજી, સાયકોલોજિકલ એજ અર્થાત્ તમે તમારી જાતને જેટલી યુવાન કે વૃદ્ધ અનુભવો છો, તે ઉંમર.
અહીં જે વ્યકિતઓની વાત થઇ છે, તેમની શારીરિક ઉંમર ભલે ગમે તે હોય, પણ તેમની સાઇકોલોજિકલ એજ ઘણી યુવાન છે. વળી, તેઓ પોતાની પ્રવૃત્તિને અઘ્યાત્મ સાથે પણ જોડે છે! (more…)
1 comment July 5, 2009
Color test . . . Not so Easy -E mail Courtsey Vinod R Patel
These are the things we’re supposed to do to remove the cholesterol from around our brains and try to slow up Alzheimer’s. I think it took me 2
times before I finally got this brain of mine to concentrate. A great test. Do it until you get 100%!
Bet you can’t get 100% on the first try! But I’m rooting for ya. It takes an average of 5 tries to get to 100%. Follow the directions!
It’s harder than it seems, as it should be. A brain waker-upper for today!
Click Here: >> The Color Test <http://www.humorsphere.com/fun/8787/colortest.swf>
1 comment June 19, 2009
વૃધ્ધાવસ્થા -જીવનનું અંતિમ પર્વ…

ઉમાશંકર લખે છે..”હું મને મળવા આવ્યો છું”.વૃધ્ધાવસ્થા એટલે પોતે પોતાની જાતને મળવાની અવસ્થા. પચ્ચાવન-સાઠ વર્ષની ઉંમર સુધી આપણે આપણા નોકરી-ધંધા, વેપાર-વ્યસાયમાં કે ઘરસંસારના વહીવટ વહેવારમાં એવા ખૂંતેલા અને ડુબેલા રહ્યા કે આખા જગતને મળી શક્યા, પરંતુ પોતાની જાતની મુલાકાત લેવાનો આપણને કદી સમય ન મળ્યો. આખી દુનિયા ઓળખી જાણી, સમજી લેવા મથી રહ્યા પરંતુ આ સમસ્ત હિલચાલનું કે કેન્દ્રબિંદુ હતું તે “સ્વ”બે કદી ઓળખવાનો પ્રયત્ન જ ના થયો. વૃધ્ધાવસ્થા આ સ્વપરિચયનાં બારણાં ખોલી આપવા માટે આવે છે.વૃધ્ધાવસ્થા એટલે પોતાને એકાંત મળવાનો ઉત્સવ.
વૃધ્ધાવસ્થા એ જીવનની અંતિમ અવસ્થા નથી. તે તો અંતિમ અવસ્થાની અગાઉની એક અવ્સ્થા છે. વૃધ્ધાવસ્થા એક સેતુ છે, જેના પર ચાલીને આપણે જીવન્ના અંતિમ બિન્દુએ, પૂર્ણવિરામ સ્થાને પહોંચવાનું છે.. ઘણા માને છે.”નિવૃત થયાં, વધ્ધ થયાં એટલે બધું પતી ગયું. વાતવમાં વૃધ્ધત્વ એટલે એક નવો આરંભ, નવી શરૂઆત.
પરિવર્તન માટે તૈયાર રહીએ. વૃધ્ધાવસ્થામાં પ્રવેશ એટલે એક નવીનતામાં પ્રવેશ,જીવન પલટાય છે.પરિવર્તન વિકાસની સીડી બની શકે.જીવનની જુદી અવસ્થાઓની પોત પોતાનીની વિશેષ્ટતા લઈને આવે છે. એનામાં કશુંક અપૂર્વપણું છે, અભૂતપૂર્વતા છે એ આપણે શોધી કાઢવાની છે.જીવન એટલું બધું ગહન, વ્યાપક અને વૈવિધ્યસભર છે કે એના જુદાજુદા વ્યાપને આંબવા માટે હજારો જિંદગી જોઈ એ. વૃધ્ધાવસ્થા પોતાની એક આગવી વિશિષ્ટ જિંદગી લઈ ને આવે છે.આ નૂતન જિદગીનું આપણે હોંશભેર સ્વાગત કરવાનું છે.
ખોવાયેલા”હું”ને ગોતીએ.વૃધ્ધ થયા પહેલાની જિંદગી કે સીમિત જિન્દગી હતી, જેમા હું મારી જાતને જોવા સમર્થ ન હતો. નિવૃતબાદ કુંડાળું ભેદાય છે, કશાક નવીનમાં પ્રવેશ થાય છે/’કશુંક નવિન’ એ મારું જ સ્વરૂપ છે,પ્રતિબિંબ છે એનો મને પરિચય નથી. કે કવિ એ ગાયું છે”ગુલમહોરી છાંયડાઓ ભૂલીને ભાઈ હું તો બાવળની કાંટ્ય મહીં મોહ્યો, મોહ્યો, મોહ્યો તે વળી એવો મોહ્યો કે મને મેં જ મારા હાથમાંથી ખોયો..”
હું મને જ ના પામ્યો. બધું મેળવ્યું પણ “હું”ને મેળવવાની અવસ્થા, ‘હું એટલે પેલા ખોવાયેલા ‘હું ને મેળવવાની અવસ્થા. અત્યાર સુધી જે કાંઈ જાણ્યું તે બધું ‘હું’ની હદોની બહારનું જ્ઞાન હતું. હવે મારી જાતને જાણવાની છે. પ્રાચીન ધર્મગ્રંથોની આ પ્રથમ આજ્ઞા છે. Know thyself “કોડહમ””હું કોણ છું”નો જવાબ મેળવ.
વૃધ્ધાવસ્થા એટલે સાર્થકતાના વર્ષો. વૃધ્ધાવસ્થામાં કશીક સંપ્રાપ્તિ કરવાની છે. એવી પ્રાપ્તિ જેથી આપણુ૬ આયખું સાર્થક થઈ જાય , ધન્ય ધન્ય થઈ જાય.વૃધ્ધાવસ્થા એ કશાય ની બાદબાકી નથી. વૃધ્ધાવસ્થા એટલે વૃદ્ધિ જ વૃદ્ધિ. જીવનભરનો અનુભવ મેળવેલો છે. અનેક લીલીસૂકી જોઇ છે. જીવનનો ખૂણો વનદીઠો પસાર નથી થઈ ગયો.કામ ક્રોધ અને રાગ દ્વેશનાં પ્રચંડ તોફાનની થપાટો પણ ખાઈ ચૂક્યા છીએ. પ્રેમ, સૌજન્ય અને સૌહાર્દના સ્કુમાર સ્પર્શ પણ પામ્યાં છીએ. આમ જીવનાની ઝોળીમાં જાતજાતની કમાણી છે ને હવે તો આ કમાણીનો શિરોમોર પ્રપ્ત કરવાનો છે.
જીવન આખું મથીને એક મંદીર રચ્યું છે . હવે એના પર મૃતકળશ ચઢાવવાનો છે. જેના પર મૃત્યુ પોતાની સુંદર ધજા ફરકાવવાની છે. મનમાં લાચારીની કે અસહાયતાની ભાવના હોય તો એને ધરમૂળથી ફગાવી દેવાની છે. ભલે શરીર નબળું પડતું જશે, ભલે કદાચ દીકરાબંધું વગેરે પરિવાર છોડીને જતાં રહે, તો પણ હૈયે આત્મવિશ્વાસ છે કે આ શરીરની શક્તિ ઉપરાંત મારી અંદર આત્માની એક એવી અજોડ શક્તિ પડી છે. જેના આધારે હું એક ભવ નહીં, ભવોભાવ પાર કરી શકું એમ છું. વૃધ્ધાવસ્થા એટલે આ આત્મશક્તિની હોડીમાં બેસીને સામે કાંઠે પહોંચવાની યાત્રા.અંદર પડેલા આત્મશક્તિનું ભાન આપણાંમાં શક્તિઓના અનેક દરિયા ખડા કરી દેશે.
-મીરા ભટ્ટ(”જીવનનું અંતિમ પર્વ”માંથી)સંકલન: વિશ્વદીપ
3 comments June 3, 2009
શતાયુ બનવાની જડીબુટ્ટીઓ -હરિક્રીષ્ણ મજમુદાર્
પૂર્વાગ્રહો છોડો અને સો વર્ષ જીવો
એક વખત મને ભાષણ આપવા આમંત્રણ મળ્યુ..જે સભા હતી બેબીબૂમરો માટે .. એટલે ૫૦ ની ઉપરનાં માણસો માટેની હતી. મારી ઉંમર તે વખતે ૮૨ની. તેથી ભલે આમંત્રીત હતો પરંતુ મારુ વક્તવ્ય કંઈ તે લોકો માટે બહુ અગત્યનું નહોંતુ. ૫૦થી ઉપરના લગભગ ૭૫ જેટલા માણસોને નિવૃત્તી માટે તૈયાર કરવાનો મૂળ હેતૂ હતો.
પહેલે દિવસે તબીબોનાં વક્તવ્યો હતા જેઓ સભાને વધતી ઉંમરે કયા કયા રોગો થાય તેનો સામનો કેવી રીતે કરવો અને તેની દવાઓ વિશે વાતો હતી..અલ્હાઇમર્..વિસ્મૃતિ થી શરુ કરી તીવ્રતમ હ્રદય રોગનાં લક્ષણો અને તેને રોકવાના ઉપાયો બતાવ્ય…સાંજે બે ચાર વિદુષકોને બોલાવી મનોરંજન નો કાર્યક્રમ હતો..અને તે વિદુષકોની નવાઈ લાગતી હતી કે કોઇ જોક ઉપર કોઇ હસતુ કેમ નથી…હું દરેકનાં મોં જોઈને સ્પષ્ટ કહી શકતો હતો કે તબીબી વાતોથી બધા શ્રોતા એટલા બધા ભડકી ગયા હતાકે કોઇને વિદુષકોની વાતથી હસવુ આવે તે શક્ય નહોંતુ.
બીજે દિવસે યોગ અને નિવૃતિ નિવાસની મુલાકાતો હતી..કોફી અને નાસ્તો હતા અને બે બસ ભરીને તે શહેરની આસપાસનાં પાંચેક નિવૃતિ નિવાસોની મુલાકાત કરાવી …આયોજકો તે નિવૃત્તિનિવાસનાં ફાયદા..સગવડ અને લાભો સમજાવતા હતા. જ્યારે મારા સહિત સૌની નજર ત્યાં રહેતા અને પોતાની જાતને કોષતા રહેવાસીઓની ઉપર હતી.. અને ડરનાં માર્યા સૌ વિચારતા હતા કે આપણે અહીં રહેવા આવવુ પડે તે કરતા પહેલા મોત આવે તો સારુ.
ત્રીજે દિવસે સવારે મને આયોજકોએ કહ્યું આપણી પાસે ૨૫ મીનીટનો સમય છે અને ત્રણ વક્તા છે તેથી તમે તે પ્રમાણે આ સભા જનોને વક્તવ્ય આપો એટલે મે એમ પુછ્યુ મને જે યોગ્ય લાગે તે કહીશ અને ૮ મીનીટ કરતા વધારે નહીં બોલુ..અને જો તેમ લાગે તો મારું ધ્યાન દોરજો..અને તે ભાઈને મારી સભ્યતા ગમી અને ડોકુ હલાવ્યુ.
મેં વાતની શરૂઆત કરતા કહ્યું અહીં તમે જે સાંભળ્યુ અને જોયુ તે બધુ ભુલી જાવ્. અને એક વાત ધ્યાન રાખો કે માણસ એક છે અને તેને આટલી બધી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તે માનવાનું કોઇ કારણ નથી. તમને ખબર છેને શસ્ત્ર ક્રીયા પહેલા ડોક્ટર લેખીત લખાવે છે કે તમે મરી જાવ તો ડોક્ટર જવાબદાર નહીં…બસ આ એવું જ છે..તમને ક્યારેક પણ કંઇ થશે તો તેના ઈલાજો છે.તેના ભાર સાથે જીવવાની કંઇ જ જરૂર નથી તે મારા જાત અનુભવથી આપને કહી રહ્યો છું..આ સભાનાં સંચાલકોનાં સંચાલનો ખૉટા છે તેમ નથી કહેતો..પણ તેમને જણાવેલા દરેક ભયો તમને લાગશે તે ડર તમારા મગજમાંથી કાઢી નાખો… અને તાળીઓનાં ગડગડાટો થી સભા ગુંજી રહી હતી..કહેવાની જરૂરત નથી કે તે વક્તવ્ય અને ત્યાર પછીની પ્રશ્નોત્તરી દોઢ કલાકથી વધુ ચાલી
તે પ્રશ્નોત્તરીમાં મે કહેલી કેટલીક વાતો અહીં હું આપની જાણકારી માટે લખું છું.
મને પુછાયેલ સૌથી અઘરો પ્રશ્ન (મારે માટે જવાબ આપવાનો તે) હતો શું ઉંમર થઈ એટલે આત્મ સન્માન ગુમાવીને જીવવાનું?
મારો જવાબ હતો આત્મ સન્માન એ બહુ બારીક શબ્દ છે જેમા તમારુ દ્રષ્ટીબીંદુ અને સામેનાનું દ્રષ્ટીબીંદુ એક સ્થળે એકત્રીત ન થાય તો વિરોધાભાસ થવાનો…જેમ કે તમને અલ્હાઇમર છે અને તમને ભુલી જવાની બીમારી છે. તમે કોફી પીધી અને તમે થોડુ ચાલ્યા પછી ફરીથી કોફી પીવાની તલપ થઈ અને તમે કહો કે મે સવારથી કોફી પીધી જ નથી તો તે ખોટુ. પણ તમારી સંભાળ રાખનારા બહેન કહે કે તમે કોફી પીધી છે તો શાંતીથી તમે કહો ભલે મને ફરી પીવી છે તો દ્રશ્ટીબીંદુ એક થઈ ગયું..પન જો એમ જ કહ્યા કરો કે ના મે પીધી જ નથી અને તુ ખોટુ બલે છે તો બદલાયેલુ દ્રષ્ટીબીંદુ વિખવાદ કરી શકે. હવે આત્મ સ્ન્માન કેમ ગુમાવ્યું? અલ્હાઇમરને કારણે તમે જે ભુલી ગયા તેને કારણે…
બીજો પ્રશ્ન હતો ભૂતકાળમાં પડ્યા રહેવાનો શું અર્થ્?
એક સમયે તમે રાજા હતા.. એક સમયે મોટી કંપનીનાં ઉચ્ચ હોદ્દેદાર હતા.. પણ આજે નથી તેનુ શું?
ભૂતકાળ એ ગાડીનો rear mirror છે. તેમાં જ્યારે જરૂર પડે ત્યારે જ અને તેટલો સમય જ રહેવું જોઈએ..ઇતીહાસ પુનરાવર્તીત થતો હોય છે પણ રોજ નહીં. જ્યારે રોજ તે ગાડીનો front glass છે. તેની જરૂર વધારે હોય છે. અને ભુલી જવાની ઘટના આમતો સુખદાયક હોય છે અને ત્મએ જોજો લોકો મોટે ભાગે ભૂતકાળનાં દુઃખો જ વાગોળતા હોય છે..સુખો નહીં
ત્રીજો પ્રશ્ન હતો પૂર્વાગ્રહ પર્..મારે કેમ નવી રીતે જીવવાનું? અમે જે રીતે જીવ્યા છે તે રીત અમને બરોબર લાગે છે.
મારા મગજમાં તે વખતે અનેક જવાબો હતા પણ અહીં હું અટક્યો અને મેં પ્રશ્ન પુછ્યો - તમારે સુખમય રીતે સો વરસ જીવવું છે કે દુઃખમય રીતે… જવાબ સ્વાભાવિક રીતે જ સુખમય રીતનો હતો તેથી મે બે ઉદાહરણ આપ્યા- મારા પિતરાઇ મોટાભાઇ કૃષ્ણ દેસાઈ અમેરિકામાં રહેતા હતા ત્યારે તેમની બેનીફીટ આવકો બંધાઇ ચુકી હતી. તેમની પત્ની ને અલ્હાઇમર થયો હતો અને તે બધુ ભુલી જતી હતી..દિકરો અને વહુ બધી જ રીતે સારા..એક વખત એવું નક્કી થયુ કે જીંદગીનાં છેલ્લ વરસો ભારતમાં ગાળવા જેથી અમદાવાદમાં સારો એપાર્ટમંટ ખરીદ્યો અને મહારાજ્, ચોવિસ કલાકની કામવાળી ,રામલો અને ડ્રાઇવર સાથે રહેવુ શરૂં કર્યુ…બે વર્ષબાદ પત્નીનાં મૃત્યુ પછી છોકરાએ અમેરિકા બોલાવ્યા ત્યારે કહે હું તો અહીં સારો છું..મને અહીં ૪ નોકરો છે ત્યાં બધુ મારે જાતે કરવુ પડે…અમેરિકામાં જેમ સુખો છે તેમ દુઃખો પણ છે જ્યારે તેજ પ્રકારે ભારતમાં પણ સુખો છે તેમજ દુઃખો છે…કૃષ્ણ નો સ્વભાવ ટોળામાં જીવવાનો..અને તે ટૉળા આજે ૯૦ વર્ષે પણ તેને મળે છે.. જ્યારે જો તે અમેરિકામાં હોત તો કદાચ નર્સીંગહોમ મળત્.. આ વાતને હું front mirrorમાં રહીને જીવવાનું કહું છું. તે અમેરિકન જીવન પધ્ધતિ જીવ્યા પછી પણ નવું જીવન શરુ કરે છે અને આજમાં જીવે છે..અમેરિકાથી ભારત જતા ઘણા બધા મિત્રોએ તેનો સત્કાર માણ્યો છે. ( એ કહે છે જુની જીવન પધ્ધ્તિમાં જે છે તે કદાચ નવી જીવન પધ્ધતિમાં ના હોય પણ જે છે તેમાં જે નથી નો પૂર્વાગ્રહ ઉમેરવો તેજ rear mirror જોઇને ગાડી ચલાવવાની વાત છે)

બીજુ ઉદાહરણ મેં ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલી સૌથી લાંબુ જીવન જીવેલી ફ્રેન્ચ મહીલા જેની કમેટ નું આપ્યુ..તે ૧૨૨ વર્ષ જીવેલી ૮૫ વર્ષે તે Fencing (તલવાર બાજી અને તીવ્ર ચંચળતા યુક્ત યુધ્ધ સાધનોનાં ખેલો) કરતી અને ૧૦૦ વર્ષે પણ તેના ગામના પહાડી વિસ્તારમાં તે સાયકલ ચલાવતી. ૧૧૯ વર્ષ સુધી તે ધુમ્રપાન કરતી. તેના સુદીર્ઘ જીવન માટે તે કહેતી લસણ શાકભાજી ઓલિવ ઓઇલમાં ડુબાડીને ખાતી અને શરીરે ઓલીવ ઓઈલ ચોપડતી પણ. ૧૧૪ વર્ષ સુધી તો તે સ્વસ્થતાથી ચાલી શકતી ૧૧૯ વર્ષે આંખે તકલીફ થતા અને ખાસ તો જાતે લાઈટર ન સલગાવી શકતા તેને ધુમ્ર પાન છોડ્યુ. તે મનથી પોતાને કદી વૃધ્ધ માનતી નહોંતી અને સદા પ્રસન્ન મીજાજ રહેતી.
અંતે જ્યારે મારું વક્તવ્ય પુરુ કર્યુ ત્યારે તે સૌ શ્રોતાઓનો હું હકારત્મક જીવન જીવો નું વહેવારીક સંદેશો આપનારો “દાદો” હતો. અને પૂર્વાગ્રહો છોડી આજમાં જીવવાની શીખ આપનારો “ગુરુ” હતો. મને ૨૫ મીનીટની મર્યાદા બતાવનારા સંચાલક મિત્ર તો મને ભેટી જ પડ્યા હતા અને મારી સ્મૃતિનો સૌથી સંતોષ જનક તે દિવસ હતો.. કરણ કે ૭૫ જણને મેં શતાયુ બનવાની જડીબુટ્ટીઓ આપી હતી
Add comment May 9, 2009
વાતાવરણ નો નહીં વિચારધારા નો દોષ- હરિક્રીષ્ણ મજમુંદાર
મારી વાતો અમેરિકન વાતાવરણની છે પરંતુ સમય જતા તે વાતાવરણ કરતા વિચારધારા સાથે વધુ સંકળાયેલી લાગે છે. તમે નિવૃત્ત થયા પછી કરવાની ઘણી બધી વૈજ્ઞાનિક વાતો પછી આ વાત મુકુ છું તેનુ મુખ્ય કારણ એજ કે ક્યારેક આજુ બાજુ નજર નાખો અને વિચારધારાથી પીડીત ઘણા કુટુંબો દેખાશે. અત્યારે એક જ કુટુંબમાં ચાર પેઢીની વાત કાલ્પનીક નામો થી સમજાવું છું
૧.
જગદીશભાઈ નું લગ્ન જીવન બે સંતાનો ભણવા ગયા અને ખાલી માળો હતો ત્યારે ખરાબે ચઢ્યું. જીજ્ઞા અને જગદીશ બંને તેલ કંપનીમાં સારા એવા મોટા પગારનાં પગારદાર તેથી જેવી બાળકોની જવાબદારી ગઈ તે સાથે ”હું”પદ મોટુ થતું ગયુ..જીજ્ઞાને સતત એવું લાગે જગદીશ દરેક અન્ય સ્ત્રીને બહુ સરસ રીતે વાતો કરે છે અને મારી વાત આવે અને એનો તેવર બદલાઈ જાય છે. જગદીશ કહે એવું કશું નથી. છતા શંકાનું મોળવણ દુધમાં પડ્યુ તેટલે તે ધીમે ધીમે દહીં જેવી વિકૃતિનું સ્વરૂપ પકડતી ગઈ અને નાના જીગન અને મોટા જતીન ને વચ્ચે રાખી બંને જણા છૂટા પડ્યા..૩૦ વર્ષ બાદ્. જગદીશ મીત્તભાષી તેથી ડો. ક્રૂષ્ણા સાથે બીજુ લગ્ન પણ કર્યુ..જોકે સ્વૈચ્છીક નિવૃત્તિને કારણે પુરતા પૈસા હતા..અને મોટા ઘરમાં થી ઘણા મોટા મકાનમાં રહેવા તે ચાલી ગયો. જીજ્ઞાએ પોતાનુ નાનુ અને સ્વતંત્ર મકાન લીધું (more…)
Add comment May 2, 2009
જુના ઇતિહાસ અને નવી ભૂગોળ-હરિક્રીષ્ણ મજમુદાર
Add comment March 8, 2009
