આપણે પણ આવા મહામરણને ભેટીએ.- પ્રજ્ઞાબેન વ્યાસ
ફેબ્રુવારી 15, 2011 at 7:32 પી એમ(pm) 2 comments
શું જ્ઞાનેશ્વર કે અખો, શું નચિકેતા કે શ્રી અરવિંદ અથવા તો વિનોબાનો અંતિમ પ્રાણોત્સર્ગનો મહાપ્રયોગ… આ બધા એક જ વાત કહે છે કે મૃત્યુને જીતવું હોય તો શરીરભાવથી ઉપર ઊઠો. નચિકેતાને એના શરીરમાં લાવવા માટે યમદેવે કેટકેટલાં પ્રલોભનો આપ્યાં ? ગાડી, ઘોડા, ધન-દોલત, રાજપાટ, સ્વર્ગની અપ્સરાઓ – પણ નચિકેતાએ તો મૃત્યુનું રહસ્ય જ વાંછ્યું અને આત્મભાવમાં એ સ્થિર રહ્યો. ‘મરતાં પહેલાં મરવું’ એટલે મૃત્યુનું રોજ-રોજ રિહર્સલ કરવું. સતત સેવન કરવું. મૃત્યુ એટલે અ-શરીરમાં વસવું. સતત અ-શરીરમાં, આત્મભાવમાં રહેવાની ટેવ પડશે તો ‘વિમૃત્યુ’ થવાય છે.
કઠોપનિષદ કહે છે : ‘अथ मर्तोडमृतो भवात । मृत्युमुखात्प्रेमुच्यते । आनन्त्याय कल्पते ।’ આ રીતે મર્ત્ય અમર્ત્ય બને છે. મૃત્યુ-મુખમાંથી છૂટે છે અને અનંતતાને પામે છે.
રોકશો મા, ટોકશો મા કોઈ
મારા મોતને, ભેટવા આવ્યો છું.
એને ટાળવા આવ્યો નથી.
Entry filed under: અન્ય બ્લોગ ઉપરથી ગમે, પ્રેરણાદાયી લેખ્, email.
2 ટિપ્પણીઓ Add your own
Leave a reply to praheladprajapati જવાબ રદ કરો
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1. pragnaju | ફેબ્રુવારી 15, 2011 પર 9:34 પી એમ(pm)
આ લખાણ મીંરાબેનના પુસ્તકમાંથી છે
યાદ આવે
હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;
બુઝાતા દીવાની શગ-શું, અવળો વાય પવન;
દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું – તે ય ધૂંધળું;
પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;
બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.
– જયન્ત પાઠક
2. praheladprajapati | ફેબ્રુવારી 15, 2011 પર 10:23 પી એમ(pm)
srs ,
બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.